Thursday, August 28, 2014

શ્રદ્ધા અને સત્ય

શ્રદ્ધા અને સત્ય
શ્રદ્ધા એક અદભૂત શક્તિ છે। ચારેય  બાજુ થી ઘેરાયેલા હોઈ એ છીએ તે વખતે એક બળ સ્રોત  વહે છે !તે મૂળે શ્રધ્ધાછે !! થીંક પોઝીટીવ  !!શ્રદ્ધા નો સંબંધ થતા જ સર્વ ચિંતા નાશ પામે છે। શ્રદ્ધા રાખો તમારું બધું જ કામ તે કરી દેશે !! મહર્ષિ અરવિંદ ના કેટલાક હૃદય સ્પર્શી શબ્દો માતાજી ની વાતો માં મળે છે।.વિજ્ઞાન  સત્ય ને ચકાશે છે ,વસ્તુઓ ના મૂળે  પહોચે છે જેથી તે સત્ય નું શોધક છે !
પ્રેમ એ વિશ્વાસ નો પાયો છે !! અને વિશ્વાસ થી આગળ છે શ્રદ્ધા !! પેલો સીધો સાદો બ્રાહ્મણ  નાંદી  શ્રાદ્ધ
કરાવતા બોલે છે श्रद्धा च नो म व्यगमत ..मा  व्यगमत  व: श्रद्धा
અમારા રમણ કાકા હતા તે રોજ  હોમ કરતા  હતા। તે પોતે કોમ્યુંનીષ્ટ  વિચારસરણી ના રસિક હતા. તેમના મિત્રો એ એકવાર તેમને પ્રશ્ન કર્યો કે તમે એક બાજુ કોમ્યુંનીસ્ટ  વિચારો ધરાવો  છો અને રોજ હોમ પૂજા કરો છો ? તેનો જવાબ તેમણે  સરસ આપેલો તમે મુવી જોવા કેમ જાઓ છો ?તે કલ્પના વાર્તા જ છે ને !! તે તો ખોટું જ હોય છે પણ તમને તેમાં આનંદ આવે છે ને ? મને પણ જગત નો રચનાકાર  કોઈ છે  તે કોઈ એલિયન હોય કે ઈશ્વર કે જે કોઈ મહા શક્તિ તેની આ રીતે પ્રાર્થના કરવા માં આનંદ આવે  છે !! તમને એલિયન હોઈ શકે કે નહિ વિગેરે પ્રશ્નો છે ને ? શ્રદ્ધા  તો વિશ્વાસ થી ય આગળ ની વાત છે !!
मंथन मुझ तुज मात हो वंदन
अंतर मन क्यों कलश करे 



Friday, August 22, 2014

આપણી પાંચે આંગળી ઓ સરખી છે ?

આ આટલી નાની વાત કેમ સમજી નથી શકતો ? બસ આ જ માથાકૂટ ને કારણે ગુસ્સો આવે છે !!અહી મને મમત ની વાત જેવું લાગે છે. ઘણી વાર એમ લાગે છે કે સમાનતા એ રાજકારણ  વાળા ધર્મો વાળા ઓ  એ લોકો ને ગેર માર્ગે દોરવા શોધી કાઢેલી યુક્તિ છે !! આપણી પાંચે  આંગળી  ઓ સરખી છે ? વર્ગ માં બધા વિદ્યાર્થી નો 1 લો નંબર આવે !! અરે વિવિધતા તો માયા છે અને તેથી જ સંસાર છે !! વિવિધ રંગો છે !! બધા જ સમજુ હોય ?? બસ આ વાત મગજ માં થી કાઢી  નાખવા ની છે ! સમાનતા ની વાતો ભાષણ માં શોભે છે  . અસમાનતા ને  કાર્ય વહેચણી કેમ નથી સમજતા !!! .  વજન ઉચકવા પહેલવાન નું કામ છે  . બુદ્ધિ ની વાત માં બુદ્ધિશાળી  નું. બધા ભગવાન બની જવા ના નથી !! મને તો ભગવાન ની વર્ણાશ્રમ કર્મ ની વાતો ફરી તપાસી જવી જરૂરી લાગે છે।
દરેક ની  કિંમત  છે !! તેની શક્તિ ની કદર  સમજો !!


Wednesday, August 20, 2014

તારે મેરે સહારે

આકાશ ને ઓળખવા નું ચાલુ કરશો તો એકલા નહિ પડી જાઓ !! અરે આ તો ઈશ્વર નું વિરાટ દર્શન છે!!જ્યોતીષ શબ્દ નો અર્થ જ છે જે પ્રકાશિત કરે છે એવી જ્યોતિ !!ध्यौ तिति  यत तद  ज्योतिः  ज्योतिषम !! મેં બી એસ સી પછી સંસ્કૃત નું એક પેપર એસ એસ સી માં આપી સંસ્કૃત મહાવિદ્યાલય માં જ્યોતિષ ભણવા એડમીશન લીધું હતું। સામાન્ય રીતે જે બ્રાહ્મણ  ના સંતાનો વિજ્ઞાન ઈજનેરી માં નજી શકે એવા હોય તે મોટે ભાગે આ ભણવા આવે !! તેમ છતાં ત્યાં મારા એક પરમ મિત્ર ડો. અશોક ઠક્કર પણ જ્યોતિષ માં દાખલ થયા હતા। તે વિશિષ્ટ વ્યક્તિ હતા તેમની પાસે થી મને આકાશ ના તારા જોવા નો રસ પડી ગયો.તેમનું નાનું ટેલીસ્કોપ મને યાદ આવે છે !! તમે જો ઈશ્વર નું ચિંતન કરતા હો તો ખગોળ વિજ્ઞાન જેવું કોઈ શાસ્ત્ર નથી.બસા તેવે મને રાત્રે અગાશી માં તારા જોવાનો શોખ કરી દીધો હતો.વિનોબાજી ના પુસ્તક માં તેમને એક વાર ખુલ્લા માં બધા સિનેમા જોતા હતા ત્યારે પોતે આકાશ માં તારા જોવા માં ખોવાઈ ગયા હતા તેનું સરસ  વર્ણન કર્યું છે !! આકાશ ની જોવા ની મઝા તો એવી છે કે જાણે બધા અપના ઓળખીતા ન હોય !! જ્યોરે એકલા રાત્રે જંગલ માં થી ચાલતા જઈએ ત્યારે જુઓ !! જાઓ ગામડા માં !!બસ આવું જ કઈ આકાશ નું છે!! વિરાટ !! જ્યાં જ્ઞાન વિજ્ઞાન ની કસોટી છે !! આકાશ દર્શન !! ઈશ્વર છે !! મને આ એક મારાથી ગીત ની પંક્તિ પણ ગમી ગઈ છે !!