Monday, November 25, 2013

અધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું યોગ્ય નથી !

વિજ્ઞાન  વિકાસ ની ગતિ જોતા એમ જણાય છે કે પૃથ્વી થી ચંદ્ર અને બહુ બહુ તો બીજા પાંચ છ ગ્રહો ની જાણકારી આવી રહેલા સો એક વર્ષો માં કરી શકાશે !!પણ યાદ રહે તમારું આયુષ્ય એટલું લાંબુ નથી ! તેથી આત્મજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું યોગ્ય નથી !!કારણ કે હજુ તો અનેક સૂર્ય મંડળો અને નિહારિકાઓ ના પ્રશ્નો ઉભા જ છે !! અધ્યાત્મ વિજ્ઞાન તરફની સુગ બદલી વિજ્ઞાન ની ને છાજે તેવો ગુણ કેળવવો જરૂરી છે !! આજે યોગ પ્રાણાયામ જેવી બાબતો આયુર્વેદ જ્યોતિષ ગણિત ની બાબતો ધીરે ધીરે વિજ્ઞાન સ્વીકારતું થયું છે !! જરાક પાછળ જોઈએ  !!મને એક ભાઈ કહે સાપ ગયા લીસોટા રહ્યા !! પણ ભાઈ લીસોટા સાચવો કદાચ સાપ ક્યાં ગયો છે મળી આવશે !!  આર્કીટેક  ની કોલેજ માં ભણ્યા ન હતા તે લોકો એ તાજ મહાલ અને મદુરા ના મંદિર બનાવ્યા હતા !! તક્ષશિલા નાલંદા શું છે ચાલો જોઈએ તો ખરા !!

No comments:

Post a Comment